નર્મદા પંચકોશી પરિક્રમામાં ભકતોનું કીડિયારું ઉભરાયું, ભીડ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મીની બસ સેવા મુકાઈ

Narmada Panchkoshi Parikrama: નર્મદા પંચકોશી પરિક્રમામાં ભકતોનું કીડિયારું ઉભરાયું છે. મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓ આવી રહ્યા છે જેના કારણે ભીડ ખૂબ થઈ રહી છે. ભીડ વધતા ટ્રાફિક જામ થતા પરિક્રમાવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઈંડાના લારીચાલકને અને તેના કારીગરને ઢોર માર માર્યો
13 મીની બસ સેવામાં મુકાઈ
નાવડીઓ ઓછી પડતા કલાકોનું વેટિંગ થતા લોકોને પરેશાનીમાં મૂકાયા છે. તિલકવાડાથી ભક્તોને લઈ જવા SOU ની બસ મંગાવાઈ છે. રેંગણ ઘાટ પર ભીડ વધી જતાં ભીડ ઓછી કરવા મીની બસ સેવામાં મુકાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મીની બસ સેવામાં મુકાઈ છે. હાલ રેંગણ ઘાટથી શ્રધ્ધાળઓને SOU ની બસ દ્વારા ભાદરવા ગામ સુધી લાવવાની વ્યવસ્થા વાવડી ચોકડી પરથી અંદર જવા પર પણ રોક લગાવી છે.