મુખ્તાર અંસારી ગેગનો શૂટર અનુજ કનોજિયા એન્કાઉન્ટરમાં ઠાર, 2.5 લાખનું હતું ઈનામ

Uttar Pradesh: ઉત્તરપ્રદેશ STF અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે શનિવારે (29 માર્ચ) રાત્રે જમશેદપુરમાં મુખ્તાર અંસારી ગેંગના શૂટર અનુજ કનોજિયાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. મળતી માહિતી અનુસાર એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, લો એન્ડ ઓર્ડર) અમિતાભ યશે જણાવ્યું કે જમશેદપુરમાં યુપી એસટીએફ અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમ સાથે ગોળીબાર બાદ મુખ્તાર ગેંગના શૂટર અનુજ કનોજિયા એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેના પર 2.5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ હતું. તેમણે કહ્યું કે એસટીએફ અને ઝારખંડ પોલીસે ગુપ્ત માહિતીના આધારે અનુજ કનોજિયાને પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેણે સુરક્ષા દળો તરફ ગોળીબાર શરૂ કર્યો અને ક્રોસ ફાયરિંગમાં અનુજ કનોજિયાનું મોત થયું.
તેમણે કહ્યું કે કનોજિયા વિરુદ્ધ મૌ, ગાઝીપુર અને આઝમગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 23 થી વધુ કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું કે ટીમનું નેતૃત્વ કરી રહેલા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) એસટીએફ ડીકે શાહીને ગોળી વાગી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોળીઓના નિશાન જોઈ શકાય છે. આ એન્કાઉન્ટર જમશેદપુરના ગોવિંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું.
#WATCH | Jamshedpur, Jharkhand: Visuals from the spot where Mukhtar Ansari gang's shooter Anuj Kannaujia was killed in an encounter on Saturday in a joint operation between UP STF and Jharkhand police.
(Video Source: Amitabh Yash, ADG UP STF) https://t.co/583WFN0Q56 pic.twitter.com/WBCPav1jQx
— ANI (@ANI) March 29, 2025
ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અન્સારીનું ગત વર્ષે 28 માર્ચે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પરિવારે જેલ પ્રશાસન પર ‘ધીમા ઝેર’ આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, વહીવટીતંત્રે આ વાતને ફગાવી દીધી હતી. વિસેરા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બાહુબલી મુખ્તાર અન્સારીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે.
આ પણ વાંચો: 118 સભ્યોની મેડિકલ ટીમ, બે નૌકાદળના જહાજો… ભારતે ‘ઓપરેશન બ્રહ્મા’ દ્વારા મ્યાનમારને મદદ મોકલી