માયાવતીનો મોટો નિર્ણય, ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી હટાવ્યો

નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ રવિવારે પદાધિકારીઓની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે. માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા છે. આ સાથે માયાવતીએ તેમના ભાઈ આનંદકુમારને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે.

એટલું જ નહીં, માયાવતીએ રાજ્યસભા સાંસદ રામજી ગૌતમની જવાબદારી વધારી દીધી અને હવે તેઓ રાષ્ટ્રીય સંયોજક પણ બનશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.