જામનગરના ધ્રોલમાં સામૂહિક આપઘાત, માતાએ 4 સંતાન સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યો

જામનગર: જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામે પરિવારે સામૂહિક આપઘાતની ઘટના બની છે. માતાએ ચાર સંતાન સાથે આપઘાત કર્યો છે. સુમરા ગામે માતા અને ચાર સંતાન સહીત પાંચના મોત નીપજ્યાં છે. માતાએ ચાર સંતાન સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યો છે. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ચાર સંતાનો સાથે માતાની આત્મહત્યા
ધ્રોલ તાલુકાના સુમરા ગામે એકસાથે 5 લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથક શોકમગ્ન બન્યું છે. કયાં કારણોસર માતાએ આ પગલુ ભર્યું તે અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી. ત્યારે પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યાં છે.