September 12, 2024

કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં તોડફોડની ઘટનામાં 100 કરોડનું નુકસાન, મમતા બેનર્જીએ કર્યો દાવો

Mamata Banerjee: કોલકાતા દુષ્કર્મ અને હત્યાકાંડ કેસને લઈને દેશભરમાં લોકો આકરાપાણીએ છે. જને લઈને કોલકાતા આરજી કર મેડિકલ કોલેજમાં લોકો ઘુસી ગયા હતા અને તોડફોડ કરી હતી. આ વચ્ચે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે લગભગ 40 લોકોનું એક જૂથ હોસ્પિટલમાં ઘૂસી ગયું અને ઈમરજન્સી વિભાગ નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી. તેમણે દાવો કર્યો હતો કે હંગામો અને તોડફોડને કારણે લગભગ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે ટોળાએ તે સ્ટેજ પર પણ તોડફોડ કરી હતી જ્યાં જુનિયર ડોકટરો તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો વિરોધ કરી રહ્યા હતા અને સુરક્ષાની માંગ કરી રહ્યા હતા.

સીએમ મમતાએ આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસની તપાસ માટે પોલીસ માટે સમયમર્યાદા નક્કી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પોલીસ 18 ઓગસ્ટ સુધીમાં તપાસ પૂરી નહીં કરે તો કેસ સીબીઆઈને સોંપવામાં આવશે. જો કે તે પહેલા કોલકાત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.

સીબીઆઈને જલદી તપાસ પૂર્ણ કરવા સૂચના
આ અંગે નારાજગી વ્યક્ત કરતા સીએમ મમતાએ સીબીઆઈને અલ્ટીમેટમ પણ આપ્યું છે. તેમણે સીબીઆઈને તપાસ જલ્દી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. જો સીબીઆઈ 18 ઓગસ્ટ (રવિવાર) સુધીમાં ગુનેગારોને નહીં પકડી શકે તો મોટું આંદોલન કરવામાં આવશે.

સીએમ મમતા દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે અમે દિલ્હીમાં વિરોધ કરીશું. તેમણે કહ્યું કે સોમવારે રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનની સુરક્ષાના નામે અમારો કાર્યક્રમ યોજાશે. મમતાએ કહ્યું કે, હું ઈચ્છું છું કે ગુનેગારોને ફાંસી આપવામાં આવે.

આ પણ વાંચો: ડેન્ગ્યુ અને મેલેરિયાના વધી રહ્યા છે કેસ, હડતાળ પાછી લો…, સરકારે ડોક્ટરોને કરી અપીલ

હત્યાનું સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો હતો
સીએમ મમતાએ સીપીઆઈ(એમ) અને ભાજપ પર આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ કરવાનું ષડયંત્ર રચવાનો અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવીને મહિલા ડોક્ટરની બળાત્કાર અને હત્યા પાછળ સત્ય છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે સીબીઆઈને રવિવાર સુધીમાં કેસ ઉકેલવા અપીલ કરી હતી અને ગુનેગારોને ફાંસી આપવાની માંગ કરી હતી.

સત્ય છુપાવવાનો પ્રયાસ
તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સત્ય બહાર આવે. પરંતુ કેટલાક લોકો લોકોને ગેરમાર્ગે દોરવા માટે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવીને સત્ય છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે ગુનેગારોને સજા મળે.

આરજી કર હોસ્પિટલમાં ઘૂસી તોડફોડ કરી હતી
તમને જણાવી દઈએ કે ગુરુવારે વહેલી સવારે લગભગ 40 લોકોનું ટોળું હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને ઈમરજન્સી વિભાગ, નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતી અને ટોળાએ સરકારી હોસ્પિટલના સીસીટીવી કેમેરાને પણ તોડફોડ કરી હતી જુનિયર ડૉક્ટર મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહ્યા હતા અને તેમના કાર્યસ્થળ પર સુરક્ષાની માંગ કરી રહ્યા હતા.