June 23, 2024

અર્જુન સાથે બ્રેકઅપ બાદ Malaikaએ શેર કરી પોસ્ટ, કહ્યું – ક્યારેય હાર…

Malaika Arora Latest Post: અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને અલગ થયાને થોડો સમય થઈ ગયો છે. આવી સ્થિતિમાં મલાઈકાની નવી પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેની પોસ્ટ વાંચીને કહી શકાય કે તે તેના જીવનમાં આગળ વધી રહી છે. હાલમાં જ અર્જુન કપૂરનો એક ફોટો જોવા મળ્યો હતો જેમાં અભિનેતા હોસ્પિટલમાં દાખલ જોવા મળ્યો હતો અને મલાઈકા પણ બ્રેકઅપમાંથી બહાર આવવા માટે વેકેશન પર ગઈ હતી. હવે તેની પોસ્ટ વાંચીને મલાઈકાના ફેન્સ ઘણા ખુશ થઈ રહ્યા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અચાનક થોડા દિવસો પહેલા કપલના એક નજીકના મિત્રએ કહ્યું કે તેઓ અલગ થઈ ગયા છે અને કપલ આ વિશે વાત કરવા માંગતા નથી. આવી સ્થિતિમાં, દરરોજ અર્જુન કપૂર અને મલાઈકા અલગ-અલગ પોસ્ટ શેર કરી રહ્યા હતા જે ઘણી પીડાદાયક હતી.


મલાઈકાએ શેર કરેલી પોસ્ટમાં, તેણે લખ્યું, “ક્યારેય હાર ન માનો. જે થયું તેમાથી બહાર નીકળવાનો રસ્તો શોધો.” હવે અભિનેત્રીની આ પોસ્ટ પછી ચાહકોનું કહેવું છે કે તે હાર માનવા માંગતી નથી અને જીવનમાં આગળ વધવા માંગે છે.

મલાઈકા અરોરાને સપોર્ટ કરતા તેના ફેન્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, “જે થાય છે તે હંમેશા સારા માટે જ થાય છે.” બીજાએ લખ્યું, “અમે હંમેશા તમારી સાથે છીએ.” ત્રીજાએ લખ્યું, “તે સારું છે કે તમે અર્જુન કપૂર સાથે જે હતું તે ખતમ કરીને આગળ વધી રહ્યા છો.”