લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં દબાણો દૂર કરવા કવાયત

મહીસાગર: મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. લુણાવાડા નગરપાલિકાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ પર ફળી વળ્યું હતું. લુણાવાડા વાસીયા તળાવ અને તેની આસપાસના દબાણ દૂર કરવા કવાયત હાથ ધરી હતી.
લુણાવાડા નગરમાં દબાણ કરવામાં આવેલ સરકારી જમીનો ખુલ્લી કરાશે. લુણાવાડા નગરપાલિકા દ્વારા મકાન ગલ્લા ધાર્મિક સ્થળો પણ દૂર કરવામાં આવશે. જિલ્લા પોલિસ અને ઉચ્ચ અધિકારીઓ દબાણ દૂર કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા.