ગીર-સોમનાથમાં છેલ્લા 1 વર્ષમાં એક હજાર કરોડથી વધુની જમીનોનું દબાણ દૂર કરાયું

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરીને લઈ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષમાં એક હજાર કરોડથી વધુની જમીનોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

1042 દબાણકારોએ કરેલ 92 હેક્ટર સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે. જેમાં 420 કરડોની જમીન ખુલ્લી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગની જમીન પર 561 દબાણદારોએ 25 હેક્ટરમાં દબાણ કર્યુ હતું. જેમાં 81 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. ગોચરણ પર 2269 દબાણકારો દ્વારા દબાણ કરાયેલું હતું, 670 હેક્ટર જમીન પરથી દબાણ દૂર કરી 755 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

ગીરમાં કુલ 3872 દબાણકારો દ્વારા 787 હેક્ટર જમીન પર દબાણ હતું. જેમાં 1256 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. હજુ પણ ગોચરણ પર દબાણોની ફરિયાદો મળી રહી છે જે દબાણો પણ દૂર કરવામાં આવશે.