September 15, 2024

કંગનાની ‘ઇમરજન્સી’ વિવાદમાં, SADની સેન્સર સર્ટિફિકેટ રદ્દ કરી રિલીઝ રોકવા માંગ

Kangana Ranaut Emergency Controversy: બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત જ્યારથી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી વિવાદોમાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદ પંજાબમાં ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી. ‘ઇમરજન્સી’ પર આરોપ છે કે તે શીખ સમુદાયને ખોટી રીતે દર્શાવી રહી છે, જે તેની છબી માટે ‘અપમાનજનક’ છે.

હવે શિરોમણી અકાલી દળ (SAD)ના દિલ્હી યુનિટે પણ કંગનાની ‘ઇમરજન્સી’ સામે મોરચો ખોલ્યો છે. પાર્ટીના દિલ્હી યુનિટના પ્રમુખે ફિલ્મને લઈને સેન્સર બોર્ડ અને કંગનાના પ્રોડક્શન હાઉસને નોટિસ મોકલી છે.

કંગનાની ફિલ્મની સામે શિરોમણી અકાલી દળ
શિરોમણી અકાલી દળના દિલ્હી યુનિટે નોટિસમાં કહ્યું છે કે કંગના રનૌત ‘તેના શીખ વિરોધી રેટરિક માટે કુખ્યાત છે’ અને તેણે ‘શીખ સમુદાયને નિશાન બનાવવા માટે ઈમરજન્સીનો વિષય પસંદ કર્યો છે.’

માહિતી અનુસાર, નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘ફિલ્મનું ટ્રેલર ખોટા ઐતિહાસિક તથ્યો દર્શાવે છે, જે ન માત્ર શીખ સમુદાયને ખોટી રીતે દર્શાવે છે પરંતુ નફરત અને સામાજિક દુર્ભાવનાન પણ પ્રોત્સાહન આપે છે. આ પ્રકારનું ચિત્રણ ન માત્ર ગેરમાર્ગે દોરનારું પરંતુ પંજાબ અને સમગ્ર દેશના સામાજિક માળખા માટે અપમાનજનક અને નુકસાનકારક પણ છે.

આ પણ વાંચો: TMKOC: તારક મહેતા… ફેમ સોનુ બનશે દુલ્હન, જાણો કોણ છે તેનો પતિ?

આ નોટિસમાં ફિલ્મ સેન્સર બોર્ડ અને બોર્ડના અધ્યક્ષને અપીલ કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક અસરથી ફિલ્મનું સેન્સર સર્ટિફિકેશન રદ કરે અને તેની રિલીઝ અટકાવી દે. શિરોમણી અકાલી દળના દિલ્હી યુનિટે આ નોટિસમાં એમ પણ કહ્યું છે કે આ ફિલ્મ સામુદાયિક વિવાદો વધારી શકે છે અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપી શકે છે.