IPL 2025: મુંબઈના 16.30 કરોડ પાણીમાં ગયા? રોહિત થયો ટ્રોલ

IPL 2025, Rohit Sharma: રોહિત શર્માથી IPL 2025માં ચાહકોને ખૂબ નિરાશ જોવા મળી રહ્યો છે. રોહિત ચેન્નાઈ સામે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. જીટી સામે તેણે કોઈક રીતે 2 ચોગ્ગા ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પરંતુ તે જ ઓવરમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જેનું પરિણામ એ આવ્યું કે મુંબઈની ટીમ હારી ગઈ.

આ પણ વાંચો: ઈદના દિવસે બનાવો આ રીતે શરબત-એ-મોહબ્બત, પીધા પછી થઈ જશો મદહોશ

16.30 કરોડ રૂપિયામાં રિટેન કર્યો
રોહિત શર્મા પર અનેક સવાલ થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે રોહિતનું બેટ છેલ્લી 10 આઈપીએલ ઇનિંગ્સમાં શાંત રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 પહેલા રોહિત શર્માને 16.30 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. રોહિતનું ફોર્મ હવે ટીમ માટે ચિંતાનું કારણ બની ગયું છે. તેણે 10 ઇનિંગ્સમાં 154 રન બનાવ્યા છે, જેમાં ફક્ત 1 અડધી સદીનો સમાવેશ થયાય છે. તેણે ફક્ત બે વાર 30+ રન બનાવ્યા છે. તેની IPL કારકિર્દીમાં અત્યાર સુધીમાં 6636 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 43 અડધી સદીનો સમાવેશ થાય છે. પરંતુ હાલનું તેનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. તેને ટોલિંગ પણ ખૂબ કરવામાં આવી રહ્યો છે.