IPL 2025: પંજાબની જીતે આ 2 ટીમનું ટેન્શન વધ્યું, પ્લેઓફ ટિકિટ હવે આ ટીમની જોખમમાં

IPL 2025: આપીએલની તમામ મેચ શાનદાર રમાઈ રહી છે. ગઈકાલની મેચમાં પંજાબની ટીમની જીત થઈ હતી. આ જીત સાથે બીજી એવી 2 ટીમ છે જેનું પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ સિઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થનારી ટીમ ચેન્નાઈ બની છે. પંજાબની જેવી જીત થઈ 2 ટીમનો હવે રસ્તો વધુ મુશ્કેલ બન્યો છે. પંજાબ હવે પોઈન્ટ ટેલબમાં બીજા સ્થાન પર છે.
આ પણ વાંચો: એરટેલ-બ્લિંકિટને મોટો ફટકો, સિમ કાર્ડ ડિલિવરી પર લાગ્યો પ્રતિબંધ
કેકેઆરની મુશ્કેલીમાં વધારો
હવે પંજાબની જીતથી લખનૌ સુપર જાયન્ટ્સ અને કેકેઆરના તણાવમાં વધારો થયો છે. RCB તો અત્યારે સેફ ગેમ રમી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. મુંબઈની ટીમ , ગુજરાત અને દિલ્હીની ટીમ પણ સેફમાં છે. પંજાબની જીત થતાની સાથે લખનૌ અને કેકેઆરની મુશ્કેલીમાં વધારો થયો છે. પંજાબની ટીમ પાસે 13 પોઈન્ટ છે અને આગામી 4 મેચમાંથી 2 મેચમાં જીત પ્રાપ્ત કરે છે તો પણ પ્લઓફની ટીકિટ મળી જશે.