પહલગામ હુમલા અંગે ભારત સરકારે લીધો મોટો નિર્ણય, શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલ કરી બ્લોક

Shoaib Akhtar: પહલગામ હુમલા પછી ભારત સરકાર એક પછી એક નિર્ણય લઈ રહી છે. હવે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપવા બદલ ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરની ચેનલનું નામ પણ સામેલ છે.
On the recommendations of the Ministry of Home Affairs, the Government of India has banned the 16 Pakistani YouTube channels including Dawn News, Samaa TV, Ary News, Geo News for disseminating provocative and communally sensitive content, false and misleading narratives and… pic.twitter.com/AusR1fCkvN
— ANI (@ANI) April 28, 2025
આ પણ વાંચો: મુંબઈ સામેની મેચમાં હાર બાદ લખનૌના કેપ્ટન રિષભ પંત સહિત સમગ્ર ટીમને કેમ મળી સજા?
16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ
“ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં દુ:ખદ પહલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓના વિરુદ્ધમાં સંવેદનશીલ સામગ્રી બતાવવા માટે અને ખોટી માહિતી ફેલાવવા માટે આર્ય ન્યૂઝ, ડોન ન્યૂઝ, સમા ટીવી, જીઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે,” અખ્તરની યુટ્યુબ ચેનલના 3.5 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.