ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, S-400 સિસ્ટમથી પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યો

India Pak War: ગઈકાલે રાત્રે ભારતીય વાયુસેનાએ વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 સુદર્શન ચક્ર મિસાઇલ સિસ્ટમથી ભારત તરફ આવતા લક્ષ્યોને નિશાન બનાવ્યા. S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા બધા લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
S-400 એર ડિફેન્સ સિસ્ટમ શું છે?
S-400 એર ડિફેન્સ સિસ્ટમ એ ઉપકરણોનું નેટવર્ક છે જે ચોક્કસ વિસ્તારમાં હવાઈ ખતરાનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવે છે. તે હવામાં દુશ્મનના ફાઇટર જેટ, મિસાઇલ અને ડ્રોનને નિશાન બનાવવા માટે રચાયેલ છે.
બુધવારે રાત્રે પાકિસ્તાને ભારતના ઉત્તરીય અને પશ્ચિમી શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે સતર્ક હતા અને તેમણે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. આ પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં ઘણા સ્થળોએ હાજર એર ડિફેન્સ રડાર સિસ્ટમ્સને નિશાન બનાવી.