October 5, 2024

IND vs ZIM: T20 સિરિઝમાં ઝિમ્બામ્બવે સામે ભારતની 13 રને હાર

નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વેએ પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. આશ્ચર્યજનક રીતે ટીમ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. ત્યારે ભારત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થનારી ટીમ સામે હારી ગયું છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા ઝિમ્બાબ્વેએ ક્લાઈવ મદંડેની 29 રનની અણનમ ઈનિંગની મદદથી 20 ઓવરમાં નવ વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 19.5 ઓવરમાં 10 વિકેટે 102 રન જ બનાવી શકી હતી. ગિલ અને સુંદર સિવાય કોઈ બેટ્સમેન રમ્યો નહોતો. આ જીત સાથે ઝિમ્બાબ્વેએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વે સામે ભારતની નવ મેચોમાં આ ત્રીજી હાર છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનારા ત્રણેય બેટ્સમેન IPL સ્ટાર ઝિમ્બાબ્વે સામે ફ્લોપ રહ્યા હતા. ઝિમ્બાબ્વે સામે અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ત્યારે રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ પણ કંઈ ખાસ જામી શક્યા નહોતા.આ ત્રણેય ખેલાડીઓએ IPL 2024માં પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. જો કે, ડેબ્યૂ મેચમાં ત્રણેયના બેટ શાંત રહ્યા હતા.

ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન
બેટિંગ વખતે ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે પહેલી જ ઓવરમાં અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક ચાર બોલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ પછી વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર સિવાય કોઈએ બેટિંગ કરી નથી. કેપ્ટને પ્રથમ મેચમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. જ્યારે સુંદરે એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ મેચમાં ગાયકવાડે સાત, પરાગે બે, રિંકુ સિંહે શૂન્ય, જુરેલે છ, બિશ્નોઈએ નવ, અવેશ 16, મુકેશે શૂન્ય રન કર્યા હતા. જ્યારે ખલીલ ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. ઝિમ્બાબ્વે માટે ચતારા અને કેપ્ટન રઝાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બેનેટ, વેલિંગ્ટન, મુઝારાબાની અને લ્યુકે એક-એક વિકેટ લીધી હતી.

લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈના નેતૃત્વમાં ભારતીય બોલરોને ઓફ સ્પિનર ​​વોશિંગ્ટન સુંદર (11 રનમાં બે વિકેટ)નો સારો સાથ મળ્યો હતો. ત્યારપછી મજબૂત ભાગીદારી માટે સંઘર્ષ કરી રહી હતી. જો કે, ઝિમ્બાબ્વેએ શાનદાર શરૂઆત કરી હતી અને પાવરપ્લેમાં બે વિકેટે 40 રન બનાવ્યા હતા. મુકેશ કુમારની બોલિંગ પર કાયા આઉટ થયા બાદ વેસ્લી માધવેરે (21 રન) અને બ્રાયન બેનેટ (22 રન) ઝડપથી 34 રન બનાવ્યા હતા. બંનેએ પાંચમી ઓવરમાં ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ પર 17 રન બનાવ્યા હતા. બેનેટે આમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે, ઝિમ્બાબ્વે શરૂઆતના આંચકામાંથી બહાર આવી રહ્યું છે. જો કે, છઠ્ઠી ઓવરમાં બિશ્નોઈએ તેની ગુગલી વડે બેનેટને આઉટ કરીને ઝિમ્બાબ્વેની ઇનિંગનો માર્ગ બદલી નાંખ્યો હતો. ત્યારબાદ ઝિમ્બાબ્વેના વધુ ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા જેમાં મધેવેરે, બ્લેસિંગ મુઝારાબાની અને લ્યુક જોંગવે સિવાયનો સમાવેશ થાય છે.