વિસાવદરના ખંભાળીયા ગામના મહિલા સરપંચના પતિનું મૃત્યુ, મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

જૂનાગઢ: એક મહિના પહેલા વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામના મહિલા સરપંચના પતિ અરવિંદભાઈ મકવાણા પર હુમલો થયો હતો. ત્યારે આજરોજ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો છે. તેમજ હવે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે.

વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામે આંગણવાડીનું મકાન ખાલી કરાવવા બાબતે હુમલો મહિલા સરપંચના પતિ પર થયો હતો. જેમાં અરવિંદભાઈ મકવાણાને ગંભીર ઈજા થતાં રાજકોટ સારવાર હેઠળ હતા. ત્યારે આજરોજ સારવાર દરમિયાન મૃત્યુ મૃત્યુ નીપજ્યું છે. ત્યારે હવે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. જેને લઈ વિસાવદર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.