July 5, 2024

વરસાદમાં વધી જાય છે ઉધઈનો ખતરો, ઘરનું ફર્નિચર બચાવવા કરો આ ઉપાય

Home Remedy for Termite: ચોમાસાની ઋતુ દરમિયાન ભેજવાળા ઘરોમાં મચ્છર, માખીઓ, વંદા અને ઉધઈ જેવા ઘણા પ્રકારના જીવડા મુશ્કેલી ઊભી કરી શકે છે. આ ઋતુમાં ઉધઈ ઝડપથી ફેલાય છે. એકવાર ઘરમાં ક્યાંય પણ ઉધઈ આવી જાય તો તે તમારા ઘરમાં રાખેલા મૂલ્યવાન ફર્નિચરને તબાહ કરી શકે છે. ટર્માઇટ્સ લાકડાને અંદરથી ખાઈ જાય છે. ઘણી વખત ઉધઈના ઉપદ્રવની જાણ પણ થતી નથી. ભેજના કારણે ઉધઈ પણ દીવાલો પર ચઢવા લાગે છે. જો ઘરના ફર્નિચર અને લાકડાને ઉધઈથી બચાવવા હોય તો શું પગલાં લેવા જોઈએ? ચાલો અમે તમને જણાવીએ.

ઉધઈથી છુટકારો મેળવવાના ઘરગથ્થુ ઉપચાર

લીમડાનું તેલ- ઉધઈના ઉપદ્રવને રોકવા માટે લીમડાનું તેલ અસરકારક ઘરગથ્થુ ઉપચાર છે. જેના કારણે મચ્છર પણ ભાગી જાય છે. ફર્નિચરને ઉધઈના ઉપદ્રવથી બચાવવા માટે વરસાદની ઋતુમાં લીમડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ કુદરતી ઉધઈના નાશક તરીકે થાય છે. જ્યાં ઉધઈ હોય ત્યાં લીમડાનું તેલ છાંટો અથવા તેને ફર્નિચર પર લગાવો.

આ પણ વાંચો: તમારી ફેવરિટ પાણીપુરી લઈ શકે છે તમારો જીવ! તપાસમાં મળ્યા કેન્સરના કેમિકલ

વિનેગર- જો ઉધઈનો ઉપદ્રવ હોય તો વિનેગરનો ઉપયોગ કરો. દિવાલો અથવા ફર્નિચરમાંથી ઉધઈને દૂર કરવામાં વિનેગર અસરકારક સાબિત થઈ શકે છે. ઉધઈને દૂર કરવા માટે આ એક કુદરતી ઉપાય છે. થોડું લીંબુ ભેળવીને વિનેગર છાંટવાથી ઉધઈ મરી જાય છે. તમારે 1-2 દિવસના અંતરાલ પર ફરીથી સ્પ્રે કરવાની જરૂર છે. જેથી ઉધઈ ફરી ન આવે.

મીઠાનો ઉપયોગ- મીઠું ઉધઈથી છુટકારો મેળવવામાં અસરકારક રીતે કામ કરે છે. જે લોકોના ઘરમાં અવારનવાર ઉધઈની સમસ્યા રહેતી હોય છે તેમણે મીઠાના આ ઉપાયને અજમાવવો જોઈએ. મીઠામાં એવા ગુણો છે જે ઉધઈને અટકાવે છે. જ્યાં ઉધઈ હોય ત્યાં મીઠું છાંટવું.