દ્વારકાધીશ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું, જામ્યો હોળીનો માહોલ

દ્વારકા: દ્વારકાધીશ મંદિર ખાતે હોળાષ્ટકની સાથે જ હોળી ધૂળેટી ઉત્સવ શરૂ થાય છે. દરરોજ સવારે શ્રીજી ભક્તો ઠાકોરજીને અબીલ ગુલાલ ઉડાવી હોળી ધૂળેટી રમી શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

જેમ જેમ હોળી નજીક આવે તેમ તેમ લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા ખાતે પહોંચે છે. જેમાં સૌથી વધારે સંખ્યા પગપાળા આવતા શ્રદ્ધાળુઓની હોય છે. પગપાળા આવતા શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. તેની સાથે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા રોડ પર કેમ્પ લગાવી જમવા ખાવા પીવા અને ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે.