રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિધર્મીઓ દ્વારા હિન્દુ આગેવાન પર હુમલો

ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિધર્મીઓ દ્વારા હિન્દુ આગેવાન પર હુમલો કરાયો છે. રેસીડેન્સીયલ જીરાપા વિસ્તારમાં મોટરસાઇકલ ઉપર નીકળી બરાડા પાડી વિધર્મી શખ્સો ગાળો બોલતા હતા. જેથી રેસીડેન્સીયલ જીરાપા વિસ્તારમાં રસ્તા પર ગાળો બોલવાની ના પાડતાં વિધર્મીઓ ઉશ્કેરાયા હતા. તેમજ ઉશ્કેરાઈને ગાળા ગાળી કરીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. ઝપાઝપી કરતા આસપાસના લોકો દોડી આવતા વિધર્મીઓ નાશી છૂટ્યા હતા.

હિન્દુ વિસ્તારમાં હિન્દુઓ ઉપર વિધર્મીઓ દ્વારા હુમલાના બનાવો વધતા હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા તાત્કાલિક દોડી આવ્યા હતા. ધારાસભ્યએ પોલીસ તંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ઉપલેટામાં આગામી સમયમાં રાત્રે બાર વાગ્યા પછી દુકાનો બંધ કરાવવામાં આવશે. જેથી અસામાજિક તત્વો બહાર ન નીકળે.

હિન્દુ આગેવાન પર હુમલો થતાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો સાથે હિન્દુ સમાજના લોકો પોલીસ સ્ટેશન ખાતે એકઠાં થયા હતા. તેમજ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સામસામે ફરિયાદની પણ તજવીજ ચાલુ હોવાની માહિતી સામે આવી છે.