આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે PM મોદી નવસારીમાં, પ્રથમવાર હેલિપેડથી સભાસ્થળ સુધી મહિલાઓ રહેશેઃ હર્ષ સંઘવી

Harsh Sanghvi: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી-બોરસી ખાતે લખપતિ દીદીના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
તેમણે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દીને નવસારી ખાતે PMની હાજરીમાં લખપતિ દીદીનું આયોજન કરવામાં આવશે. જેમા દોઢ લાખ મહિલાઓ જોડાશે. ગુજરાત પોલીસ દ્વારા ખૂબ નવો પ્રયાસ થશે. વડાપ્રધાનના તમામ કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને જવાબદારી નિરીક્ષણ મહિલા પોલીસ અને ઓફીસર દ્વારા થશે.
નોંધનીય છે કે દેશમાં પ્રથમ વખત હેલિપેડથી લઈને સભા સ્થળ સુધી મહિલાઓ રહેશે. આ કાર્યક્રમની જવાબદારી ગૃહ વિભાગના મહિલા સેક્રેટરી નિપુણા તોરવણે કરશે. આ દિવસે 2145 મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા PSI, 61 મહિલા PI ફરજ પર હશે. 5 મહિલા IPS, 16 મહિલા DySP, 1 મહિલા DIG, 1 મહિલા ADGP ફરજ પર હશે. ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિગ માટે માત્ર પુરુષો પોલીસને રાખવામાં આવશે.
આ પણ વાંચો: PM મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે લખપતિ દીદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે