હરિયાણાના પંચકુલામાં મોટી વિમાન દુર્ઘટના, ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન જગુઆર ક્રેશ

હરિયાણાઃ શુક્રવારે હરિયાણાના પંચકુલામાં મોરનીના બલદવાલા ગામ પાસે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાને અંબાલા એરબેઝથી તાલીમ માટે ઉડાન માટે ઉડાન ભરી હતી. પાયલટે પેરાશૂટ વડે ઉતરાણ કરીને જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.
ટેક્નિકલ ખામીને કારણે અકસ્માત થયો
અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે, એવું માનવામાં આવે છે કે ટેક્નિકલ ખામીને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
વિમાન જંગલમાં ક્રેશ થયું
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન લહેરાતા વૃક્ષો સાથે અથડાયું અને જંગલની વચ્ચે એક ખાડામાં પડી ગયું હતું. વિમાન પડી જતાં જ તેમાં આગ લાગી ગઈ હતી અને તેના અનેક ટુકડાં થઈ ગયા હતા. વિમાનના ટુકડાં આસપાસના વિસ્તારોમાં વિખરાયેલા મળી આવ્યા હતા.
પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચ્યું
અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને રાહત-બચાવ કામગીરી ચાલુ છે. વાયુસેનાએ અકસ્માતના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.