‘વાહ, અંગ્રેજની ઔલાદ…’, કોની પર ભડક્યો હરભજન સિંહ, નોંધાવી FIR

Harbhajan singh: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક લખતા રહે છે. પરંતુ આ વખતે તે સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ સાથે દલીલ કરી હતી. આ મામલે હરભજન સિંહે એફઆઇઆર નોંધાવી છે.

ખરેખર, પાકિસ્તાન પર ભારતની જીત બાદ હરભજન સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘ભારતની જીતનો જશ્ન.’ આના પર કમેન્ટ કરતા એક ચાહકે હિન્દી કોમેન્ટ્રી પર નિશાન સાધ્યું હતું. આ યુઝરે લખ્યું હતું કે, ‘આ ખુબસુરત વાદળી ગ્રહ પર હિન્દી કમેંટ્રી સૌથી ખરાબ વસ્તુઓમાંથી એક હોઈ શકે છે.’ ભજ્જીએ પણ આ યુઝરને જવાબ આપ્યો અને હવે આ ચર્ચા વધુ વધી ગઈ છે.

હરભજને આ યુઝરને જવાબ આપ્યો અને લખ્યું, અંગ્રેજની ઔલાદ…’ શરમ આવે છે તમારા પર. પોતાની ભાષા બોલવામાં અને સાંભળવામાં ગર્વ અનુભવવો જોઈએ.’ આ પછી, રેન્ડમ સેના નામના એકાઉન્ટ યૂઝરે લખ્યું, ‘તમે હિન્દીમાં કેમ ન લખ્યું? સારું, મને ગર્વ છે, ઘમંડ નહીં. ભજ્જીએ પણ આનો જવાબ આપ્યો અને લખ્યું, ‘તું પાગલ નથી લાગતો, પણ તારું મગજ હચમચી ગયું હોય તેવું લાગે છે, શું આ સાચું લખ્યું ભાઈ?’

આ પોસ્ટનો જવાબ આપતા, આ યુઝરે લખ્યું, ‘આ શુદ્ધ હિન્દી છે, હવે તમે તેને બીજાઓ સાથે બોલી શકો છો.’ હરભજન અહીં જ ન અટક્યો અને આ પોસ્ટનો જવાબ પણ આપ્યો અને લખ્યું, ‘હું તમારી સારવાર અને ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.’ પરંતુ આ ચર્ચા ત્યારે વધુ વધી ગઈ જ્યારે આ યુઝરે ઈન્ઝમામ ઉલ હકનો એક વીડિયો શેર કર્યો.

હરભજનસિંહે આ પોસ્ટનો જવાબ આપતા કહ્યું, ‘માનસિક સારવાર માટે તેને તમારી સાથે હોસ્પિટલમાં લઈ જજો.’ તેને પણ તમારી જેમ સારવારની જરૂર છે.’ આ પછી ભજ્જીએ આ યુઝરની એક જૂની પોસ્ટ શેર કરી જેમાં તેણે અયોધ્યાના હિન્દુઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ભજ્જીએ લખ્યું, ‘તમે કઇ બાજુના છો?’ અયોધ્યાના આપણા હિન્દુ ભાઈઓ વિશે કોણ ખરાબ બોલી રહ્યું છે? “મને તમારી માનસિક સ્થિતિ કરતાં તમારા દેશદ્રોહી હોવાની શંકા વધુ છે.’ ભજ્જીએ આ યુઝરની બીજી પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું, ‘તારી આ ગંદી ભાષા સ્પષ્ટ કરે છે કે તુ કોઇ ઘુસણખોર છો.’ કારણ કે આપણે અહીં આવી વાત નથી કરતા. બાકી જો તે કૂલ બનવા માટે જે અન્ય અપશબ્દો બોલ્યા હતા તે રેકોર્ડ કરવામાં આવ્યા છે અને FIR દાખલ કરવામાં આવી છે.