‘મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી…’ના રચયિતા જાણીતા કવિ અનિલ જોશીનું નિધન

Ahmedabad: ‘મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી…’ના રચયિતા જાણીતા કવિ અનિલ જોશીનું નિધન થયું છે. કવિ અનિલ જોશીએ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અનિલ જોશી કવિ અને નિબંધકાર તરીકે પણ જાણીતા હતા.

મળતી માહિતી અનુસાર કવિ અનિલ જોશીએ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા છે. તેમણે લખ્યું કે “પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે.”

તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે 1964માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.

આ પણ વાંચો: સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ ફરી એક વખત ભભૂકી ઉઠી, મેજર કોલ જાહેર

તેમણે 1962-1969 દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ 1971થી 1976 સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. 1976-77માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે 1977થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.