આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, યલો એલર્ટ આપવામાં આવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો બરાબર જામી ગયો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સહિત રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચકાયો છે. હાલ પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 44.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.