ગુજરાતમાં IPSની બદલી, સુરતના નવા CP અનુપમસિંહ ગહેલોત

gujarat ips transferred Surat new CP Anupam Singh Gehlot vadodara new cp narsimha tomar

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે રાજ્યમાં IPS અધિકારીઓની બદલીની જાહેરાત કરવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતને તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને મૂકવામાં આવ્યા છે. કુલ 35 જેટલા અધિકારીની બદલી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મનોજ અગ્રવાલને પ્રમોશન સાથે હોમગાર્ડ ADG તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે જેલ આઈજી કે.એલ એન રાવને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. અમદાવાદ CP જી.એસ મલિકને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. અમદાવાદ સેક્ટર 2ના JCP બ્રજેશ કુમાર ઝાને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, કયા ઉમેદવારો વચ્ચે જામશે જંગ?

છેલ્લા 74 દિવસથી સુરતમાં ઇન્ચાર્જના હવાલાથી કામગીરી થતી હતી. ત્યારે આજે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમરને મૂકવામાં આવ્યા છે. કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા છે.

હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

  • અનુપમ સિંહ ગેહલોત(સુરતના નવા પોલીસ કમિશનર)
  • નરસિમ્હા કોમર (વડોદરાના નવા પોલીસ કમિશનર)
  • તરૂણ દુગ્ગલ (મહેસાણાના નવા SP)
  • ઓમ પ્રકાશ જાટ (અમદાવાદ ગ્રામ્ય SP)
  • જે.આર. મોથલિયા(અમદાવાદ રેન્જ IG)
  • પ્રેમવીર સિંહ (સુરત રેન્જ IG)
  • ચિરાગ કોરડિયા(કચ્છ બોર્ડર રેન્જ IG)