ગુજરાત સરકારના મંત્રીઓને નડી મોંઘવારી, દૈનિક ભથ્થામાં વધારો કરાયો; કોંગ્રેસે કર્યો વિરોધ

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત સરકારના મંત્રીઓના દૈનિક ભથ્થામાં વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રીઓને હોટલમાં રહેવા અને જમવા માટેના ભથ્થામાં વધારો કરાયો છે. દૈનિક 2600 રૂપિયાનું ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયનો કોંગ્રેસે મનિષ દોશીએ વિરોધ નોંધાવ્યો છે.
સામન્ય વહીવટી વિભાગ દ્વારા ગેજેટ જાહેર કરીને શહેરોને કેટેગરી કરીને ભથ્થું નક્કી કર્યું છે. X, Y અને Z વર્ગના શહેરોની કેટેગરી પ્રમાણે ભથ્થું જાહેર કર્યું છે. X વર્ગમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે Y કેટેગરીમાં બરોડા, રાજકોટ તેમજ Z કેટેગરીમાં અન્ય શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ વિરોધ નોંધાવ્યો
મંત્રીઓના ભથ્થામાં માત્ર વધારો કરવાના નિર્ણય અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની બીજેપી સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે. ગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ છે. ગુજરાત દેશમાં દેવાદાર રાજ્યોમાં અગ્રીમતા તરફ આગળ વધી રહ્યુ છે. આજે ગુજરાતનું જન્મ લેતું બાળક 89,000ના દેવા સાથે જન્મે છે. મંત્રીઓને સર્કીટ હાઉસ અને બીજી સુવિધાઓ નજીવા દરે મળે છે. ગુજરાતમાં આર્થીક અસમાનતા વધતી જાય છે. મંત્રીઓના ભથ્થામાં થયેલા વધારો ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સરકારે જો કોઇ વિકાસ કર્યો તો દેવામાં વિકાસ કર્યો છે.
વધુમાં મનિષ દોશીએ જણાવ્યું કે, ગુજરાતના 3.54 કરોડ ગુજરાતીઓ સસ્તા અનાજ પર આધારીત છે. રાજ્યમાં 78 લાખ પરિવાર ગરીબી રેખાની નીચે છે. રાજ્યની સ્થાપના સમયે રવિશંકર મહારાજે કહ્યું કે, નેતાઓ પોતે સેવાની ભાવનાથી કામ કરે અને જાહેર રૂપિયનો દુર ઉપયોગ અટકાવે છે. જો આ વાક્યને મંત્રીઓ અનુસરે તો જાહેર જનતા માટે કામ થાય. વધતી ગરીબી અને અસમાનતા વચ્ચે મંત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે. પ્રજાના નાણાંનો બેફામ દુરુપયોગ સામે સરકારે પુનઃ વિચાર કરવો