કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નિરીક્ષકોને જિલ્લા સોંપાયા, 8મી મે સુધી જિલ્લામાં જશે

અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગુજરાતમાં હાલ કોંગ્રેસના નવસર્જનની પ્રકિયા ચાલી રહી છે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નિરીક્ષકોને જિલ્લા સોંપવામાં આવ્યા છે.
AICCના નિરીક્ષકોને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. એક AICCના સિનિયર નેતા સાથે 4 પ્રદેશ નિરીક્ષકની ટીમ મૂકવામાં આવી છે. 23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો પોતપોતાના જિલ્લામાં જશે.
કચ્છ જિલ્લા માટે નિઝામુદીન કાદરી, સુરેન્દ્રનગરમાં કુલદિપ રાઠોડ, મોરબીમાં બીવી શ્રીનિવાસ, રાજકોટ જિલ્લામાં હરીશ મીણા અને શહેરમાં ડો. બિરલા પ્રસાદ, જામનગર જિલ્લામાં સંપતકુમાર અને શહેર માટે ઇમરાન મસુદ્દને જવાબદારી સોંપી છે.
દ્વારકામાં બલરામ નાઈક પોરિકા, પોરબંદરમાં રાજેશ તિવારી, ગીર સોમનાથમાં બાબુલાલ નાગર, જૂનાગઢ જિલ્લામાં ધીરજ ગુર્જર અને શહેરમાં અભિષેક દત્ત, અમરેલીમાં જગદીશ જાંગીડ, ભાવનગર જિલ્લામાં ભજનલાલ જાટવ અને સિટીમાં પ્રિવર સિંઘને જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં મણીક્કમ ટાગોર અને શહેરમાં બીકે હરિપ્રસાદ, બોટાદમાં અજયકુમાર લલ્લુ, ગાંધીનગર જિલ્લામાં આરસી ખૂંટિયા અને શહેરમાં ચેલ્લાવામસી ચંદરેડ્ડી, મહેસાણામાં નીરજ ડાંગી, પાટણમાં સૂરજ હેગડે, સાંબરકાંઠામાં પ્રકાશ જોષી, અરવલ્લીમાં ડો. શિવકુમાર, બનાસકાંઠામાં સુખદેવ ભગતને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત દાહોદમાં અર્જુન બાંભણીયા, પંચમહાલ બીએમ સંદીપ, મહીસાગરમાં અમીન કાગઝી, ખેડામાં ગિડુગુ રુદ્ર રાજુ, આણંદમાં વિજેન્દ્ર સિંઘલા, વડોદરામાં જિલ્લામાં કુલદિપ ઇન્દોરા અને શહેરમાં હરીશ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે.
છોટા ઉદેપુરમાં અસલમ શેખ, ભરૂચમાં સંજય દત્ત, નર્મદામાં ગિરીશ સોલંકર, સુરત જિલ્લામાં મિનાક્ષી નટરાજન અને શહેરમાં બાળાસાહેબ થોરાટ, તાપીમાં કેસી પડવી, નવસારીમાં પ્રફુલ પાટીલ, વલસાડમાં પ્રણીતિ શિંદે, ડાંગમાં મનીષા પવારને જવાબદારી સોંપવામાં આવી છે.