News 360
Breaking News

Gujarat Budget 2025: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ.6807 કરોડની ફાળવણી

Gujarat Budget 2025: ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં તેઓએ અનેક જાહેરાત કરી છે. સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતાં, બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે રૂપિયા 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે રૂપિયા 717 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 520 કરોડની જોગવાઇ.

  • વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ કક્ષાના અભ્યાસ અર્થે રૂપિયા 15 લાખની લોન 4%ના દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 80 કરોડની જોગવાઇ.
  • સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તેમજ આર્થિક પછાત વર્ગની 1 લાખ 25 હજાર વિદ્યાર્થિનીઓને અને અનુસૂચિત જાતિની 13,600 વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે રૂપિયા 84 કરોડની જોગવાઇ.
  • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસાર રચાયેલ બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 2 લાખ 22 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગોને મોટરાઈઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા રૂપિયા 60 કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ કુલ રૂપિયા 170 કરોડની જોગવાઇ.
  • તમામ જાતિ-વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી જુદા જુદા 10 જિલ્લાઓમાં 9 સમરસ કન્યા અને 11 સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે રૂપિયા 83 કરોડની જોગવાઇ. જેનાથી અંદાજે વધારાના 13 હજાર કુમાર-કન્યા છાત્રોને લાભ થશે.
  • ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાના આશરે 70 હજારથી વધુ લાભાર્થીઓ માટે રૂપિયા 831 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર 6% વ્યાજ સબસીડી આપવા માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ.
  • વિભાગની આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત 21,500 લાભાર્થીઓને અપાતી મકાન સહાયમાં રૂપિયા 50 હજારનો વધારો કરવામાં આવ્યો છે. જે માટે રૂપિયા 400 કરોડની જોગવાઇ.