July 2, 2024

Gujarat : છેલ્લા પાંચ વર્ષમાં 555 સિંહોના મોત, મૃત્યુદરમાં કોઈ વધારો નહી

GUJARAT - NEWSCAPITAL

સોમવારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ નીચલા ગૃહને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કુલ 555 એશિયાટિક સિંહોના મૃત્યુ થયા છે, પરંતુ તેમના મૃત્યુદરમાં કોઈ વધારો થયો નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગીરનું જંગલ એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. સરકારી આંકડા મુજબ ગીરમાં સિંહોની સંખ્યા વર્ષ 2015માં 523 હતી જે વધીને વર્ષ 2020માં 674 થઈ ગઈ છે.

મૃત્યુદરમાં કોઈ વધારો નહી

કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું કે, વર્ષ 2019માં 113, વર્ષ 2020માં 124, વર્ષ 2021માં 105, વર્ષ 2022માં 110 અને વર્ષ 2023માં 103 સિંહોના મોત થયા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દેશમાં સિંહોના મૃત્યુ વધી રહ્યા છે ?, ત્યારે આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું સિંહોના મૃત્યુ થયા છે પણ તેમના મૃત્યુદરમાં કોઈ વધારો થયો નથી. વર્ષોથી, નિષ્ણાતો સિંહોને ભારતમાં સ્થાનાંતરિત કરવા માટે કહે છે, કારણ કે ગીરમાં મોટા સિંહો ભૌગોલિક રીતે અલગ પડી ગયા છે. વધુમાં ગીર એ સિંહોનું ઘર છે જ્યાં રોગચાળા, શિકાર અથવા કુદરતી આફતોના કિસ્સામાં સિંહની વસ્તીને લુપ્ત થવાથી બચાવી શકાય છે. સપ્ટેમ્બર 2018 માં, ગીરમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને કારણે 27 સિંહોના મોત થયા હતા, જ્યારે 37 સિંહોને ક્વોરેન્ટાઇન કરવા પડ્યા હતા.GUJARAT - NEWSCAPITAL

આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલની બેદરકારીથી આધેડે દ્રષ્ટિ ગુમાવી

બે વર્ષમાં આટલા સિંહોના મોત  

ગતરોજ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો વન પર્યાવરણ મંત્રીનો લેખિત જવાબ આપતા કહ્યું હતું કે, 31 ડિસેમ્બર 2023 ની સ્થિતિ સંદર્ભે બે વર્ષમાં 113 સિંહના મોત થયા છે. જ્યારે 126 બાળ સિંહ, 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત થયા છે, જે પૈકી 21 સિંહ, 8 બાળ સિંહ, 101 દીપડા અને 31 દીપડાના બચ્ચાના અકુદરતી મોત નિપજ્યાં છે. જ્યારે 92 સિંહ, 118 બાળ સિંહ, 193 દીપડા, 79 દીપડાના બચ્ચાના કુદરતી મોત થયા છે.