ડીસા ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે સરકારે SITની રચના, 4 સભ્યોની નિમણૂક

ગાંધીનગર: ડીસા ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે ખાસ તપાસ દળની રચના કરવામાં આવી છે. સરકાર દ્વારા ડીસા આગકાંડ તપાસ મામલે 4 સભ્યોની કમીટીની રચના કરી છે. SITમાં અધ્યક્ષ તરીકે IAS ભાવિન પંડ્યાને મુકાયા છે. આ સાથે વિશાલકુમાર વાઘેલા, એચ.પી.સંઘવી અને જે.એ. ગાંધીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
SITના અધ્યક્ષ IAS ભાવિન પંડ્યા સેક્રેટરી લેન્ડ રિફોમ્સ મહેસુલ વિભાગના અધ્યક્ષ છે. સભ્ય વિશાલકુમાર વાઘેલા નાયબ પોલીસ મહાનિરીક્ષક છે. એચપી સંઘવી ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે. તેમડ જે.એ ગાંધી માર્ગ અને મકાન વિભાગમાં ચીફ એન્જિનિયર છે.
ક્યા મુદ્દાઓની તપાસ કરશે..
- કયા સંજોગોમાં તથા કારણોસર વિસ્ફોટનો બનાવ બનવા પામેલ છે. જીઆઇડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તા તંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે કેમ..
- ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટેના વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય છે કે કેમ જો હા હોય તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ..
- એક્સપ્લોઝિવ એક્ટ 1884 તથા એક્સપ્લોઝિવ રુલ્સ 2008ની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ..
- ફેક્ટરી એક્ટ 1948 હેઠળ તમામ જોગવાઈઓનું પાલન થતું હતું કે કેમ..
- ફેક્ટરીમાં કામદારો માટે લેબર લો તથા ચાઈલ્ડ લેબર લોનો પાલન કરવામાં આવેલ છે કે કેમ..
- ફેક્ટરીની સંબંધમાં બાંધકામના નિયમોનું પાલન કરવામાં આવેલું હતું કે કેમ..
- ફાયર એનઓસીની પરવાનગી સાથે તથા તે સંબંધે રાખવાના થતા સુરક્ષાના સાધનો તથા અકસ્માતના બનાવ સંદર્ભે યોગ્ય પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી કે કેમ..
- સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું કે કેમ..
- ઘટનાના સંદર્ભમાં નિષ્કાળજી અને બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ અંગે પણ તપાસ કરાશે..
- સીટ દ્વારા આ તમામ મુદ્દાઓની ચકાસણી થશે અને 15 દિવસમાં સરકારને રિપોર્ટ આપશે.