ગીર સોમનાથમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ખરીદી શરૂ થતાં કોડીનાર ખાતે 20 જેટલા ખેડૂતો ચણા લઈ વેચવા આવ્યા માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી હતી.

ચણાની ટેકાના ભાવે ખરીદી
ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા કોડીનાર ખરીદ વેચાણ સંઘ દ્વારા આજથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં 1130 રૂપિયા ચણાના ટેકાના ભાવ જાહેર કરાયા છે. ખુલ્લી બજારમાં રૂપિયા 1060/- સુધી પ્રતિ મણ ચણાનો ભાવ ચાલી રહ્યો છે. જેની સામે સરકાર દ્વારા 70 રૂપિયા વધુ ચુકવવામાં આવી રહ્યા છે. આજે 20 ખેડૂતોના ચણા વહેંચાણ માટે આવ્યા છે. ખેડૂતોને બજાર કરતા ટેકાના ભાવ વધુ મળી રહ્યા છે. ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપ મોરીએ જણાવ્યું હતું કે,”કોડીનાર તાલુકા માં 1030 ચણા અને રાયડો 609 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લા માં 13307 ખેડૂતો એ ચણા માટે જ્યારે 3777 ખેડૂતોએ રાયડાનું રજિસ્ટ્રેશન કરાવ્યું જ્યારે કોડીનાર સાથે વેરાવળ, સુત્રાપાડા અને ઉનામા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જ્યારે બારદાનના પ્રશ્નોના કારણે આ તાલુકાઓમાં રાયડાની ખરીદી શરૂ થઈ નથી. જે આગામી દિવસોમાં બારદાન આવ્યા બાદ શરૂ થશે. કોડીનાર સેન્ટરની ખરીદી શરૂઆત નગર પાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે તાલુકાના સહકારી આગેવાનો અને ભાજપના હોદેદારોની હાજરીમાં શરૂ કરાય હતી.

આ પણ વાંચો: આ ખેલાડીઓએ ઓરેન્જ કેપનો ઠોક્યો દાવો, નિકોલસ પૂરનું સ્થાન જોખમમાં

આવનાર ખેડૂતોમાં ખુશી
બીજી તરફ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના 5 કેન્દ્રોમાં 13000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે રજી્ટ્રેશન કરાવ્યું છે. જે પણ પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં બહુ જ ઓછું કહેવાય કારણ કે જિલ્લામાં અંદાજે થી હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. રજી્ટ્રેશન માત્ર 4 હજાર ખેડૂતો એ કરાવ્યું છે, જોકે કોડીનાર ખાતે પણ ટેકાના ભાવે ચણા લઈ આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે સરકારે જાહેર કરેલા 1130 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લી બજારમાં 1050 થી 1080 રૂપિયા સુધી ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. જેની સામે ટેકાના ભાવમાં ખેડૂતોને 70 રૂપિયાનો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.