September 8, 2024

ચાંદીપુરા વાયરસને લઈ ગેનીબેને લોકસભામાં રજૂઆત કરી, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર છે અને જેને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે ત્યારે પુનાની એક ટીમ આજે બનાસકાંઠા પહોંચી હતી. પાલનપુરના વોર્ડ નંબર 2 માં જ્યાં બાળકીનું મોત થયું હતું. તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા ત્યારબાદ પુનાની ટીમે ICUમાં સારવાર હેઠળના બાળકોની પણ મુલાકાત લીધી હતી અને તેમની વિગતો જાણી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરના લોકસભામાં રજૂઆત બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ચાંદીપુરાને નાથવાના પ્રયાસો શરૂ કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ચાંદીપુરા વાયરસે લીધો 6 વર્ષીય બાળકનો ભોગ

ગુજરાતમા ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને બાળકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જોકે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જેના ભાગરૂપે પૂનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરના વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું, તે વિભાગમાં સર્વે કર્યો હતો. બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા પુનાની આ ટીમ ડીસા, સુઈગામ, દાતા વિસ્તારમાં પણ સર્વે કરશે અને વિગતો મેળવશે અને તેના સેમ્પલ લેશે અને ચાંદીપુરા વાયરસને કઈ રીતે કાબુમાં લઈ શકાય તેવા પ્રયત્નો પણ કરશે.

જુલાઈ માસની શરૂઆતથી ચાંદીપુરા અને એન્ટી વાયરસના કેસ મળ્યા છે. કેન્દ્ર સરકાર અને પુનાની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જોકે આ ટીમ જે દર્દી છે દાખલ થયેલા દર્દી છે અને મૃત્યુ થયું હોય તેવા કેસની પણ આ ટીમ તપાસ કરી રહી છે. જોકે 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોમાં રોગ ઘાતક જોવા મળે છે. જોકે જે બાળકો પીડિત થયા છે અથવા મૃત્યુ પામે છે તે ઘરના નમુના લીધા છે અને જો કોઈ પશુપાલન સાથે સંકળાયેલું હોય તે પશુના પણ લોહીના નમુના લેવામાં આવ્યા છે ત્યારે પુનાની આ ટીમ આરોગ્ય વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર સાથે પણ ચર્ચા કરી અને સૂચનાઓ આપશે.

જાણો શું છે ચાંદીપુરા વાયરસ?
ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો આવી જાય છે અને સંક્રમિત દર્દીનું મોત થાય છે. મચ્છર અને માખીઓને કારણે આ વાયરસ ફેલાય છે. .બે દિવસમાં ચાર બાળકોના મોત થતા અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.