ગોંડલ મિર્ઝાપુર બન્યું, જયરાજસિંહના સર્ટિફિકેટની અમારે જરૂર નથીઃ અલ્પેશ કથીરિયા

રાજકોટઃ ગોંડલમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે પાટીદાર સમાજના ત્રણ અગ્રણી મેદાને ઉતાર્યા છે. જેમાંથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યુ છે કે, ગોંડલમાં કોઈ આવી ન શકે તેવી વાત હતી અને અમે આવીને બતાવ્યું. હજુ આવનાર દિવસોમાં પણ ગોંડલ આવીશું.

ગણેશ ગોંડલને પણ જાટ પરિવારે કહ્યું હતું તો કરીને બતાવે અમે કરીને બતાવ્યું. ગણેશ ગોંડલના ભયના લીધે જ ગોંડલમાં ડરનો માહોલ છે. ગાડીઓની તોડફોડ કરવી, કાફલો રોકવો, લોકોને રોકવા એટલે ગોંડલ મિર્ઝાપુર સાબિત થઈ રહ્યું છે. અમે ગોંડલ છોડીને નથી ભાગ્યા, અમારે જ્યાં ફરવાનું હતું ત્યાં ફર્યા. જયરાજસિંહના સર્ટીફિકેટની અમારે કોઈ જરૂર નથી. અમારે જાન જોડાવી, અણવર બનવું, સમયે નક્કી કરીશું.

તેઓ વધુમાં જણાવે છે કે, જયરાજસિંહ ચૂંટણી લડવી માટે નીતિનિયમોને આધીન ચૂંટણી લડી નથી શકતા અને કોને ચૂંટણી લડવી તે નક્કી નથી. અમારે ચૂંટણી કઈ રીતે લડવી અને વડીલોના આશીર્વાદ લઈને નક્કી કરીશું. ભાજપ હાઇકમાન્ડે બધું જોયું છે, ગોંડલ કઈ રીતે મિર્ઝાપુર બન્યું છે.’