સ્થૂળતા સામે લડાઈ: PM મોદીએ જાગૃતિ ફેલાવવા 10 નામ કર્યા નોમિનેટ, આનંદ મહિન્દ્રા-ઓમર અબ્દુલ્લા પણ સામેલ

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ મન કી બાત કાર્યક્રમમાં સ્થૂળતાની સમસ્યા પર ચર્ચા કરી હતી. હવે પીએમ મોદીએ સ્થૂળતા સામે જાગૃતિ ફેલાવવા માટે દસ લોકોને નોમિનેટ કર્યા છે. આ લોકોમાં આનંદ મહિન્દ્રા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નામ પણ સામેલ છે.

પીએમ મોદીએ X પર કહ્યું, “ગઈકાલના મન કી બાતમાં જણાવ્યા મુજબ, હું સ્થૂળતા સામેની લડાઈને મજબૂત બનાવવા અને ખોરાકમાં ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે નીચેના લોકોને નોમિનેટ કરવા માંગુ છું. હું તેમને 10-10 લોકોને નોમિનેટ કરવા વિનંતી પણ કરું છું જેથી આપણું આંદોલન મોટું બને.”

પીએમ મોદીએ આ લોકોના નામ નોમિનેટ કર્યા
આનંદ મહિન્દ્રા, નિરહુઆ, મનુ ભાકર, મીરા બાઈ ચાન્હુ, મોહનલાલ, નંદન નીલેકણી, ઓમર અબ્દુલ્લા, આર. માધવન,  શ્રેયા ઘોષાલ, સુધા મૂર્તિ

આ પણ વાંચો: IND vs PAK: કોહલીએ એકલાહાથે બનાવ્યા આ 5 રેકોર્ડ્સ, જાણો તમામ માહિતી