June 30, 2024

Surat જિલ્લામાંથી પસાર થતી 765 kv વિજલાઈનને લઈ ખેડૂતોનો વિરોધ

અમિત રૂપાપરા, સુરત: સુરત જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વિજલાઈનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કલેકટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટે નોટિસ આપી છે. કલેકટર દ્વારા પાંચથી દસ ખેડૂતોને અલગ-અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહdયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થયા હતા. કામરેજના વલથાન ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત કલેકટર કચેરી પર એકઠા થયા હતા. ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વિજલાઈન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયે આવી જશે. પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજલાઈન નાખતા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. વીજ લાઈન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો મક્કમ છે.0

સુરત જિલ્લામાંથી પસાર થતી 765 કેવીની વીજ લાઈનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાવર ગ્રીડ દ્વારા જે 765 કેવીની લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે તે ખેડૂતોની મંજૂરી વગર કે પછી કોઈપણ પ્રકારની માહિતી આપ્યા વગર જ આ લાઈનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ આનંદો! SVPI એરપોર્ટ હવે ACIમાં લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું

કંપની દ્વારા કેટલા ખેડૂતોને અસર થશે, કેટલા વિસ્તારમાં આ પાવર ગ્રીડની લાઇન નાખવામાં આવી રહી છે. તેની કોઈ પણ પ્રકારની માહિતી. કંપની દ્વારા આપવામાં આવી રહી નથી. આ ઉપરાંત ખેડૂતો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા કલેકટર દ્વારા પાંચ થી દસ ખેડૂતોને અલગ અલગ નોટિસ આપીને આ બાબતે રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે પરંતુ કંપની તરફથી કોઈ પણ પ્રકારની માહિતી હજુ પણ ખેડૂતોને આપવામાં આવી રહી નથી કે કેટલા ખેડૂતો 65 કેવીની વીજ લાઈન પસાર થશે આ બાબતે કંપની દ્વારા પણ કોઈ પણ પ્રકારે નોટિસ બહાર પાડી નથી.

ખેડૂતો દ્વારા આ પાવર લાઈન નો વિરોધ કરવામાં આવતા પાવર ગ્રીડ કંપની દ્વારા જિલ્લા કલેકટરને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ કલેક્ટર દ્વારા ખેડૂતોને નોટિસ આપીને રજૂઆત માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો વલસાણથી સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીમાં વારે સૂત્ર ચાર સાથે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા કે જાન દેંગે જમીન નહીં દેંગે, 765 કેવીની નાખવાની કામગીરી બંધ કરો બંધ કરોના પણ નારા લગાવવામાં આવ્યા હતા. તો જિલ્લા કલેક્ટર કચેરીમાં ખેડૂતોના વિરોધને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તમામ ખેડૂતો સાથે પોલીસ સાથે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી અને ત્યારબાદ ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.