3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપના પારિવારિક વિખવાદનો આવ્યો અંત

જયેશ ચૌહાણ, અમદાવાદ: 3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપના પારિવારિક વિખવાદનો અંત આવ્યો છે. 10 વર્ષથી ચાલી રહેલ વિખવાદમાં સમાધાન થયું ગયું છે. વિરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મજય ગાંધીને આઇસક્રીમ બિઝનેસના મેનેજમેન્ટમાં સ્થાન મળ્યું છે. સમાધાન બાદ તમામ ભાઈઓ એક સમાન હક્ક ધરાવતા થયા છે. અગાઉ વાડીલાલ ગ્રૂપના વિભાજનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી મળી હતી. ફેમિલી કંપની લો નાં સિદ્ધાંતને લાગુ પાડતા NCLTનો હુકમ.
છેલ્લા ઘણા સમયથી વાડીલાલ ગ્રુપમાં વિભાજનનો આંતરિક વિવાદ ચાલતો હતો. પરિવારના સભ્યોએ કંપનીમાંથી ગેરકાયદે રીતે પૈસા ઉપાડ્યોનો વાડીલાલ પરિવારના વિરેન્દ્ર ગાંધીનો આરોપ હતો. લોન આપવાના નામે ગ્રુપના નાણાનો અંગત ફાયદા માટે ઉપયોગ કરવામાં આવ્યાનો પણ આરોપ હતો. NCLTના 18 મુદ્દાના ચુકાદામાં વિભાજનની મંજૂરી આપી હતી. અરજદાર અને પ્રતિવાદી પ્રત્યેકને 10 લાખ રૂપિયા PM રાહત ફંડમાં જમા કરાવવા ટ્રિબ્યુનલ કોર્ટનો હુકમ હતો. અરજદાર અને પ્રતિવાદીએ સતત અરજીઓ કરી કોર્ટ અને સરકારી તંત્રને હેરાન કર્યું હોવાનું પણ પણ કોર્ટે નોંધ્યું હતું. NCLTના હુકમ બાદ બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. વર્ષ 1926માં રણછોડલાલ વાડીલાલ ગાંધીએ કંપની શરૂ કરી હતી.