સિદ્ધપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પારિવારિક સંમેલનનું આયોજન કરાયું

સિદ્ધપુર: ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર શાખાનું પારિવારિક સંમેલન ઉર્વેશભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં બિંદુ સરોવર ખાતે દ્વારકાધીશ મંદિરમાં યોજવામાં આવ્યું હતું. જેમાં ભારત વિકાસ પરિષદના તેમજ વૈષ્ણવ સમાજના ભાઈઓ તથા બહેનો બહુ જ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રકાશભાઈ સ્વામી એડવોકેટ કર્યું હતું. આ સંમેલનમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી વર્ષમાં કરવામાં આવનાર કાર્યક્રમો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય તેમજ વંદે માતરમના સામુહિક ગાનથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ કોકીલાબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આભાર વિધિ અતુલભાઇ રામીએ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઈ પરીખ, રણજીતભાઈ ચૌહાણ, સંજીવભાઈ શેઠ, નવીનભાઈ પંચાલ, કમલેશભાઈ મેવાડા, નીતિનભાઈ શેઠ, વિપુલ પટેલ, નિલેશ ભટ્ટ, હિતેશભાઈ મોઢ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં અંતમાં સદસ્ય મિત્રોએ પરિવાર સાથે સામુહિક સ્વરુચી ભોજન લઈ અને છૂટા પડ્યા હતા.