રવિવારે દેખાયો ચાંદ, સમગ્ર દેશમાં સોમવારે ઉજવાશે ઇલ-ઉલ-ફિત્રનો તહેવાર

Eid Ul Fitr: રમઝાનના પવિત્ર મહિનાના અંત સાથે સોમવારે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે. દિલ્હીની જામા મસ્જિદ સ્થિત ફતેહપુરી મસ્જિદના ઇમામ મુફ્તી મુકર્રમ અહેમદે જણાવ્યું હતું કે, રવિવારે મોડી સાંજે ઈદનો ચાંદ દેખાયો હતો, તેથી આ તહેવાર સોમવારે ઉજવવામાં આવશે.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ઈદનો ચાંદ દેખાયા બાદ સોમવારે ઈદની ઉજવણીની જાહેરાત થયા બાદ સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરીને લોકોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી.

સોમવારે નમાઝ અને ઈદની સેવૈયા
અહેમદે જણાવ્યું હતું કે, મસ્જિદની રૂએત એ હિલાલ કમિટીએ અનેક સ્થળોનો સંપર્ક કર્યો છે અને તેમને જાણ કરી છે કે, ચાંદ અલગ અલગ સ્થળોએ જોવા મળ્યો છે. અહેમદે કહ્યું કે, આ પ્રસંગે અમે પ્રાર્થના કરીએ છીએ કે દેશમાં સંવાદિતા અને ભાઈચારો પ્રેમથી વધતો રહે અને મજબૂત બને. રમઝાન પછી વિશ્વના વિવિધ દેશોમાં ચાંદ જોવાના આધારે ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે.