આજે જગતના નાથની નગરીમાં રુડો અવસર, દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના યોજાશે વિવાહ

Dwarka News: ચૈત્ર સુદ અગિયારસના દિવસે દ્વારકામાં રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ઉત્સવ 3 દિવસ સુધી ચાલશે. માતા રૂક્ષ્મણી મંદિરે છપ્પનભોગ મનોરથ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો છે. ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના આ વિવાહના વરઘોડા પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.
આ પણ વાંચો: IPL 2025: આજના દિવસે ડબલ હેડર મેચ કેમ રમાશે? જાણો આ પાછળનું મોટું કારણ
ભક્તો આ લગ્નમાં જાનૈયા તરીકે જોડાશે
ભગવાન દ્વારકાધીશનો વરઘોડો જગત મંદિરથી મુખ્ય રસ્તાઓ થઈ રૂક્ષ્મણી મંદિર જશે. ભગવાનના વરઘોડામાં ચાંદીની ચલણી નોટોનો વરસાદ કરાયો છે. શરણાઈના મધુર સૂર વચ્ચે ભગવાનના લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે. રૂક્ષ્મણીજીના ભક્તો આ લગ્નમાં જાનૈયા તરીકે જોડાશે. દ્વારકાના રુક્મિણી મંદિરના ભક્તો આ લગ્નમાં જાનૈયા તરીકે જોડાશે. ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મિણીના વિવાહ ધામધૂમથી ઉજવાશે.