HMPVથી ગભરાશો નહીં, પૂરતી સાવચેતી રાખવાની જરૂર છે: મોરારી બાપૂ

Ahmedabad: અમદાવાદમાં HMPV લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે. આ વચ્ચ હવે પરમ પૂજ્ય મોરારી બાપૂએ પ્રતિક્રિયા આપી છે. મોરારિ બાપૂ જણાવ્યું છે કે, એચએમપી વાઇરસથી ગભરાશો નહીં સાવચેતી રાખો. પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા એચએમપી વાયરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં HMPVનો એક કેસ સામે આવ્યા બાદ તંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે હવે પરમ પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું છે કે, નવા એચએમપી વાયરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પરમ પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાયરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.
આ પણ વાંચો: ગાઝામાં મોડી રાતે ઈઝરાયલે કર્યો હુમલો, મહિલા-બાળકો સહિત 17 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, ચીનમાં HMPV કેસમાં વધારો થવાના અહેવાલો વચ્ચે આ બેઠક યોજાઈ હતી અને તે જ દિવસે કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં HMPVના પાંચ કેસની પુષ્ટિ થઈ હતી. HMPV વૈશ્વિક સ્તરે શ્વસન વાયરસ તરીકે ઓળખાય છે. તે એક ચેપી સૂક્ષ્મજંતુ છે જે કોઈપણ વય જૂથના લોકોમાં શ્વસન ચેપનું કારણ બની શકે છે.