MS Dhoniએ આખરે નિવૃત્તિની અટકળો પર પોતાનું તોડ્યું મૌન, વાત જાણીને તમને પણ લાગશે આઘાત

Dhoni Retirement: આઈપીએલની 17મી મેચમાં ચેન્નાઈ અને દિલ્હીની ટીમનો આમનો સામનો થયો હતો. આ મેચમાં ચેન્નાઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ધોનીની નિવૃત્તિની અંગે અટકળો વધારે તેજ થઈ હતી. લોકો તો એવી પણ ચર્ચા કરી રહ્યા હતા કે તેના માતા-પિતા આ મેચ જોવા માટે આવ્યા છે. જેના કારણે આ વખતે તે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લેશે. પરંતુ આ તમામ અટકળોનો અંત ધોનીએ લાવી દીધો હતો. આવો જાણીએ શું કહ્યું નિવૃત્તિ અંગે ધોનીએ.

આ પણ વાંચો: ઉનાળામાં Periods Painથી રાહત કેવી રીતે મેળવવી? આ કરો ઉપાય

આ સમયમાં તે નક્કી કરશે
ધોનીએ એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, હાલમાં તે તેની કારકિર્દી વિશે કોઈ નિર્ણય લેવાનો નથી. IPLની 18મી સિઝન પુર્ણ થાય પછી આગામી 10 મહિનામાં નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવાનો વિચાર કરશે. આ સમયમાં તે નક્કી કરશે કે તે આવતા વર્ષના રમશે કે નહીં. ધોનીએ વધુમાં કહ્યું કે તે હજુ પણ IPL રમી રહ્યો છે. તે 43 વર્ષનો છે અને જુલાઈમાં આ IPL સિઝનના અંત સુધીમાં 44 વર્ષનો થઈ જશે. તેથી તેની પાસે 10 મહિનાનો લાંબો સમય છે કે તે નક્કી કરી શકે કે તે બીજા એક વર્ષ માટે રમવા માંગે છે કે નહીં. તે રમી શકશે કે નહીં તે તે નક્કી કરશે નહીં પણ તેનું શરીર નક્કી કરશે.