Deesa Blast: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટના મામલે PMOએ જાહેર કરી સહાય

Deesa Blast: ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ લાગતા 19 લોકોના મોત નીપજ્યાં હતા. આ દુર્ધટના મામલે PMOએ સહાયની જાહેરાત કરી છે. PMOએ X પર પોસ્ટ કરી અને લખ્યું, ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે. મૃતકના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
गुजरात के बनासकांठा में पटाखा फैक्ट्री में हुए धमाके में कई मजदूरों की मौत और कईयों के घायल होने की खबर बेहद दुखद है। शोकाकुल परिवारों के प्रति मैं गहरी संवेदनाएं व्यक्त करता हूं।
इस हादसे की तुरंत जांच होनी चाहिए और दोषियों को कड़ी से कड़ी सजा मिलनी चाहिए।
अक्सर ऐसी…
— Rahul Gandhi (@RahulGandhi) April 1, 2025
ડીસાની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ X પર લખ્યું, ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં અનેક કામદારોના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
આ અકસ્માતની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. આવી ફેક્ટરીઓમાં ઘણીવાર આગ અને વિસ્ફોટની ઘટનાઓ બને છે, અને ગરીબ કામદારો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે બહાર નીકળ્યા હોય છે તેઓ પોતાનો જીવ ગુમાવે છે. આવી દુ:ખદ ઘટનાઓને રોકવા માટે, સલામતીના નિયમોનું કડક પાલન અને જવાબદારોની સ્પષ્ટ જવાબદારી હોવી જોઈએ.
बनासकांठा, गुजरात की एक पटाखा फैक्ट्री में हुआ हादसा बेहद पीड़ादायक है। समाचार के मुताबिक़ 18 मज़दूरों की जान गई है और कई घायल हुए हैं। पीड़ितों के परिवारों के प्रति मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूँ और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
सुरक्षा के नियमों में…
— Mallikarjun Kharge (@kharge) April 1, 2025
ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે X પર પોસ્ટ કરી. ખડગેએ X પર લખ્યું, ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. સમાચાર અનુસાર, 18 કામદારોના જીવ ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. જ્યારે સલામતીના નિયમો હળવા કરવામાં આવે છે, ત્યારે આવા અકસ્માતો ઘણીવાર બને છે. આ ભૂલ માટે જે કોઈ જવાબદાર હોય તેને કાયદા હેઠળ કડક સજા થવી જોઈએ. સરકારને વિનંતી છે કે તેઓ પીડિતોને તાત્કાલિક અને યોગ્ય વળતર આપે અને તેમને શક્ય તેટલી મદદ કરે.