CM રેખા ગુપ્તાએ યમુના નદીના વાસુદેવ ઘાટ પર આરતી કરી, કેબિનેટ મંત્રીઓ સાથે હાજર રહ્યાં

Delhi CM Rekha Gupta: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે આજે મંત્રી પરિષદના ઘણા ધારાસભ્યોએ પણ શપથ લીધા છે. શપથ બાદ રેખા ગુપ્તા કેબિનેટ મંત્રીઓ સાથે યમુનાજીના વાસુદેવ ઘાટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સાંજની આરતી કરી અને પ્રાર્થના કરી હતી. થોડીવારમાં દિલ્હી કેબિનેટની પહેલી બેઠક યોજાવા જઈ રહી છે.
#WATCH | Delhi CM Rekha Gupta along with her cabinet ministers offers prayers as they join to perform evening aarti at Vasudev Ghat pic.twitter.com/IL48WVPk0K
— ANI (@ANI) February 20, 2025
યમુનાની સફાઈ અમારી પ્રાથમિકતા: CM રેખા ગુપ્તા
વાસુદેવ ઘાટ પર યમુના આરતી કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, “યમુનાની સફાઈ અમારી પ્રાથમિકતા છે. આ માટે અમે જે પણ સંસાધનોની જરૂર પડશે તેનો ઉપયોગ કરીશું અને યમુના મૈયાને સાફ કરીશું.”
અમે યમુનાને સાફ કરવાનો સંકલ્પ લીધો છે: Dy.CM પ્રવેશ વર્મા
દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું, “અમે મા યમુના પાસેથી આશીર્વાદ લીધા છે અને અમે ફક્ત યમુનાને સાફ કરવાની જ નહીં પરંતુ અમે આપેલા બધા વચનો પૂરા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. 30 મિનિટ પછી અમારી કેબિનેટ બેઠક છે.”
કયા મંત્રીને કયો વિભાગ મળ્યો
CM રેખા ગુપ્તા – ગૃહ અને નાણા મંત્રાલય
Dy.CM પરવેશ વર્મા – શિક્ષણ, પરિવહન અને PWD મંત્રાલય
મનજિન્દરસિંઘ સિરસા – આરોગ્ય, શહેરી વિકાસ, ઉદ્યોગ વિભાગ
રવીન્દ્રકુમાર ઈન્દ્રજ – સમાજ કલ્યાણ, શ્રમ મંત્રાલય
કપિલ મિશ્રા – પાણી, પર્યટન, સંસ્કૃતિ મંત્રાલય
આશિષ સૂદ – મહેસૂલ, પર્યાવરણ, ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય
પંકજકુમાર સિંહ – કાયદા અને હાઉસિંગ મંત્રાલય