થરાદ નજીક દેવપુરામાં નર્મદા કેનાલમાં કાર ખાબકી, 4 લોકોના મોત

બનાસકાંઠા: થરાદ નજીક દેવપુરામાં કાર કેનાલમાં ખાબકી છે. નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા છે. કારમાં સવાર ત્રણ બાળકો એક પુરુષનું મોત નીપજ્યું છે. મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. થરાદ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળ પહોંચી છે.
કેનાલમાં ડૂબેલા લોકોને બહાર કાઢી મહિલાની શોધખોળ હાથ ધરી છે. એક પુરુષ અને ત્રણ બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.