July 7, 2024

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આવ્યા મોરબી, મચ્છુ-2 ડેમનું નિરીક્ષણ કર્યું

ડેનિશ દવે, મોરબી: મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા જળસંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોરબીમાં લીલાપર નજીક આવેલા મચ્છુ-2 ડેમની મુલાકાત લઇ ડેમનું નિરીક્ષણ કર્યું હતું.

મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા હાલ જ રિપેર કરવામાં આવ્યા છે ત્યારે મંત્રીએ આ દરવાજાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત મચ્છુ-2 ડેમ આધારિત મોરબી જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓની પણ મંત્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.

આ મુલાકાત વેળાએ મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન-3ના મુખ્ય ઈજનેર આર. એમ. મહેરિયા અને મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય. એમ. વંકાણી સહિત મોરબી જિલ્લા સિંચાઈ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.