મેશ્વો નદીમાં નાહવા પડેલા કુલ 6 બાળકોના મૃતદેહ બહાર કઢાયા, ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

ખેડા: મહેમદાવાદની મેશ્વો નદીમાં નાહવા પડેલા કુલ 6 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મહેમદાવાદ કનીજ ગામમાં પાસે આવેલ મેશ્વો નદીમાં 6 જેટલા બાળકો નાહવા પડ્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારના બાળકો મામા ઘરે વેકેશન માણવા આવ્યા હતા. બાળકો મેશ્વો નદીમાં નાહવા પડતા અચાનક પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ ખેડા જિલ્લા કલેક્ટર, ખેડા એસપી સહિત નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા તમામ છ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને મહેમદાવાદમાં આવેલ સી.એસ.સી સેન્ટરમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ બાળકોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.