BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ, હાલની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય

અમદાવાદ: ભાજપ સંગઠન સંરચનાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં હજુ પણ વધુ વિલંબ થશે. હાલમાં કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાની સ્થિતિને જોતા સંગઠનના શીર્ષ નેતૃત્વએ આ નિર્ણય લીધો છે.

પહલમગામ આતંકી હુમલા બાદ હાલ સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા પર કામ થઈ રહ્યું નથી. અગાઉ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાતની સંભાવના હતી.હાલની સ્થિતિ સામાન્ય થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. ત્યાર બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે.