રામનવમી પર 2 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠી અયોધ્યા નગરી, રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા 5 લાખ લોકો

Ayodhya Ramnavmi 2025 Celebration: રામનવમી નિમિત્તે આજે દેશભરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન આજે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં રામ નવમીના અવસર પર સરયૂ નદીના કિનારે 2 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આજે ફરી એકવાર અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. લગભગ 5 લાખ લોકો આજે અયોધ્યામાં છે. મંદિરોમાં શંખ ફૂંકવામાં આવી રહ્યા છે. સરયૂનો કિનારો દીવડાઓની રોશનીથી ઝળહળી રહ્યો છે. આખી અયોધ્યા નગરી રામમય બની ગઈ છે.
#WATCH | Uttar Pradesh: Sandhya aarti being performed at the Saryu Ghat in Ayodhya on the occasion of Ram Navami pic.twitter.com/5LLRizlgRC
— ANI (@ANI) April 6, 2025
અયોધ્યામાં આજે બપોરે 12 વાગ્યાથી ભગવાન શ્રીરામનો જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આજે ફરી એકવાર રામ મંદિરમાં ભગવાન રામની સૂર્ય તિલક વિધિ થઈ. આ પછી, ડ્રોન દ્વારા સરયૂના પાણીથી ભગવાન રામનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો, જે કલાક ચાલ્યો. આ પછી, ભગવાન રામનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
#WATCH | Uttar Pradesh: Sandhya aarti being performed at the Saryu Ghat in Ayodhya on the occasion of Ram Navami pic.twitter.com/YIWcXxJdPS
— ANI (@ANI) April 6, 2025
ભક્તોની 1 કિલોમીટર લાંબી લાઈન
રામ જન્મભૂમિ સંકુલમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. રામ મંદિર સંકુલમાં ભક્તોની 1 કિલોમીટર લાંબી કતાર હતી. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર હાઉસફુલ જેવી સ્થિતિ છે. ગરમીને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર અને રામ જન્મભૂમિ ટ્રસ્ટે ભક્તોને ગરમીથી બચાવવા માટે અનેક વ્યવસ્થાઓ કરી છે. ટ્રસ્ટે રામપથ, ભક્તિ પથ, ધર્મ પથ અને રામજન્મભૂમિ પથ પર ભક્તો માટે લાલ જાજમ બિછાવી છે. આ ઉપરાંત, ડ્રોનનો ઉપયોગ કરીને ભક્તો પર સરયૂ જળ છાંટવામાં આવ્યું હતું.