ઔરંગઝેબને કબરમાંથી બહાર કાઢ્યા પછી ક્યાં દફનાવવામાં આવશે?

Aurangzeb: ઔરંગાબાદમાં ઔરંગઝેબના મકબરાનો વિવાદ સતત વધી રહ્યો છે. આ વચ્ચે જરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજ દૌનેરિયાએ કહ્યું કે અમે કોઈ પણ કિંમતે આ કબરને ખોદીશું. બજરંગ દળ કંઈ પણ કરે છે તે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી કરે છે. સાથે સાથે નીરજ દૌનેરિયાએ એ પણ કહ્યું કે ઔરંગઝેબની કબર ખોદ્યા પછી તેમને ક્યાં દફનાવવામાં આવશે.
આ પણ વાંચો: કર્ણાટકના મંદિરમાં કરોડો રૂપિયાનું દાન, 100થી વધુ પુજારીઓએ ગણતરી કરી રકમ
ઔરંગઝેબના મકબરાનો વિવાદ
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ઔરંગઝેબના મકબરા અંગે રાજકીય વિવાદ વધી રહ્યો છે. નાગપુરમાં આ મુદ્દા પર હિંસા થઈ હતી. આ વિવાદમાં બજરંગ દળનું નામ પણ સામે આવી રહ્યું છે. નીરજ દૌનેરિયાએ એક મીડિયા સાથેની વાતમાં કહ્યું, “ઔરંગઝેબની કબર ખોદીને ફેંકી દેવી જોઈએ. તેમનું એક પણ કૃત્ય એવું નહોતું કે જેના કારણે તેને રાખવામાં આવે. તેમણે ફક્ત ક્રૂરતા, બર્બરતા અને અત્યાચાર જ કર્યા. મંદિરોનો નાશ કરનાર વ્યક્તિનું મહિમા આપણે સ્વીકારી શકતા નથી.” તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે નાગપુર હિંસામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.