‘મહિલાઓને બક્ષી દો…’, બ્રાહ્મણ સમાજ પર આપેલા નિવદેન પર અનુરાગે માગી માફી

Anurag kashyap: બ્રાહ્મણ સમુદાય અંગે અનુરાગ કશ્યપના નિવેદન બાદ લોકો રોષે ભરાયેલા છે. અનુરાગ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અનુરાગે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એક પોસ્ટ મૂકી હતી અને તે વાંચ્યા પછી લોકો ગુસ્સે થઈ ગયા. આ જ પોસ્ટ પર કોઈને જવાબ આપતી વખતે અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિશે ખૂબ જ અભદ્ર વાત કહી, જેના કારણે દિગ્દર્શક શ્કેલીમાં ફસાઈ રહ્યા હોય તેવું લાગે છે. પરંતુ હવે અનુરાગે માફી માંગી લીધી છે.
બોલિવૂડ દિગ્દર્શક અને અભિનેતા અનુરાગ કશ્યપનો વિવાદોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આ વખતે તેઓ તેમના એક નિવેદનને કારણે બ્રાહ્મણ સમુદાયના નિશાના પર છે. પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફુલેમાં સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા કટ બાદ ઉભા થયેલા વિવાદ પર અનુરાગે પ્રતિક્રિયા આપી હતી. આ પછી અનુરાગે બ્રાહ્મણ સમુદાય વિશે એવું નિવેદન આપ્યું, જેના પછી તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ભારે હોબાળા વચ્ચે અનુરાગે પોતાના નિવેદન બદલ માફી માંગી છે.
View this post on Instagram
‘જે કંઈ કહેવામાં આવે છે તે પાછું લઈ શકાતું નથી’
અનુરાગે પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. તેમણે પોતાના સામાન્ય અંદાજમાં લખ્યું, ‘આ મારી માફી છે, મેં કરેલી પોસ્ટ માટે નહીં પણ તે એક વાક્ય માટે જેનો સંદર્ભ બહાર કાઢીને નફરત ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’ મારી પુત્રી, પરિવાર, મિત્રો અને સાથીદારોને મળી રહેલી દુષ્કર્મ અને હત્યાની ધમકીઓથી મોટું કોઈ નિવેદન નથી. જે કહેવામાં આવ્યું છે તે પાછું લઈ શકાતું નથી, અને હું તેને પાછું લઈશ નહીં. મને અપશબ્દો બોલવા હોય તો બોલો.
આ પણ વાંચો: દિલ્હીના મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 4 લોકોના મોત; અનેક લોકો દટાયા હોવાની આશંકા
‘જો તમને મારી માફી જોઈતી હોય તો લઈ લો’
અનુરાગે આગળ લખ્યું, ‘મારા પરિવારે કંઈ કહ્યું નથી અને તેઓ કંઈ કહેશે નહીં, તેથી જો તમે મારી માફી ઇચ્છતા હોવ તો સ્વીકારો.’ બ્રાહ્મણો, કૃપા કરીને સ્ત્રીઓને બક્ષી દો, આ મૂલ્યો શાસ્ત્રોમાં પણ છે, તે ફક્ત મનુવાદમાં જ નથી. તમે નક્કી કરો કે તમે કયા બ્રાહ્મણ છો, બાકી હું મારા તરફથી માફી માંગુ છું. તમને જણાવી દઈએ કે અનુરાગે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ધડક 2 ના સ્ક્રીનિંગ દરમિયાન સેન્સર બોર્ડે કહ્યું હતું કે સરકારે ભારતમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરી દીધી છે. આ જ આધારે સંતોષ પણ ભારતમાં રિલીઝ થઈ ન હતી. હવે બ્રાહ્મણને ફૂલે સાથે સમસ્યા છે. જ્યારે જાતિ વ્યવસ્થા જ નથી તો પછી બ્રાહ્મણ કેવા પ્રકારનો છે? અનુરાગ કશ્યપના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. અનુરાગના નિવેદન પર ભાજપના સભ્ય અને બિગ બોસના સ્પર્ધક તજિન્દર પાલ સિંહ બગ્ગાએ તેમની વિરુદ્ધ FIR નોંધાવવાની માંગ કરી.