પેટલાદમાં સમૂહલગ્નોત્સવમાં હોબાળો, જમવાનું-કરિયાવર ન મળતા મામલો પોલીસ મથકે

આણંદઃ થોડા દિવસ પહેલાં રાજકોટના એક સમૂહલગ્નમાં વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે આણંદના પેટલાદમાં પણ સમૂહલગ્નમાં વિવાદ સર્જાયો છે. સમૂહલગ્નમાં જમવાનું અને લગ્નમાં આપવાનો સામાન મળ્યો નથી.
21 હજાર જેટલી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યવસ્થાઓનો આભાવ થતા મામલો બીચક્યો હતો. જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જેએમ ગ્રુપ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં 7 જોડાઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો.
ત્યારે આયોજકોની બેદરકારી સામે આવતા હવે સમગ્ર મામલો પેટલાદ પોલીસ મથકે પહોંચ્યો છે. લગ્ન બાદ જોડાઓ મંદિરની જગ્યાએ પોલીસ મથકે જવાની વારી આવી છે. આયોજકોની બેદરકારીથી નવવિવાહિત જોડાઓ હેરાન થયા છે.